Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

આણંદ નજીક વિદ્યાનગરમાં રાત્રીના સુમારે પ્રેમપ્રકરણની અદાવતમાં યુવાન પર આંઠ શખ્સોનો લાકડાંથી જીવલેણ હુમલો

આણંદ:નજીક આવેલા વિદ્યાનગરના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ગઈકાલે રાત્રીના સુમારે પ્રેમપ્રકરણની અદાવતને લઈને ભાદરણના યુવાન પર આઠ શખ્સોએ લાકડીઓથી હુમલો કરીને માર મારતાં અંગે વિદ્યાનગર પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 


મળતી વિગતો અનુસાર ભાદરણના પ્રતાપપુરા ખાતે રહેતો હાર્દિક ઉર્ફે રાહુલ મુકેશબાઈ રબારી વિદ્યાનગરમાં અભ્યાસ કરતો હતો ત્યારે રબારીવાસમાં રહેતી ગીતુબેન સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. જે બાબતે તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી.

૧૫ દિવસ પહેલાં હાર્દિક ડી-માર્ટની બાજુમાં પેટ્રોલપંપ પાસે આવતાં ગીતુબેનના ભાઈ રાહુલે તારે વિદ્યાનગરમાં આવવું નહીં તેમ જણાવીને બોલાચાલી કરી હતી. દરમ્યાન ગઈકાલે રાત્રીના દશેક વાગ્યાના સુમારે હાર્દિક પોતાની કારમાં મિત્ર પ્રતિક સાથે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવતાં બાઈકો ઉપર વનરાજ મધુભાઈ રબારી, રાહુલ મધુભાઈ રબારી, વિજયભાઈ જકશીભાઈ રબારી, મિહીર રબારી, હરીશ ઉર્ફે લાલો રબારી તથા બીજા ત્રણ જણાં લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને હાર્દિકને તું વિદ્યાનગરમાં કેમ આવ્યો તને આવવાની ના પાડી નથી તેમ જણાવીને લાકડીઓથી હુમલો કરી દીધો હતો. જેમાં બાવડા, પગની પાની, બરડામાં તેમજ શરીરે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

 

(3:38 pm IST)