Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રી ડો.ભાગવત કરાડ સોમનાથ મહાદેવના દર્શનાર્થે

શ્રી સોમનાથ મહાદેવને દર્શન અભિષેક કર્યા બાદ સોમનાથ મંદિર પરિસરની મુલાકાત લીધેલી હતી.

પ્રભાસ પાટણ : કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રી ડો. ભાગવત કરાડ સોમનાથ મહાદેવના દર્શનાર્થે. સાંજે તેઓ સ્થાનિક અગ્રણીઓ સાથે સોમનાથ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા,  સોમનાથ મહાદેવને પુષ્પો, હાર, બિલ્વપત્ર સહિત પૂજન સામગ્રીઓ અર્પણ કરી હતી. તેઓએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કર્યો હતો.

 શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના દર્શન બાદ તેઓએ સોમનાથ મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી સોમનાથ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ, સરદારની પ્રતિમાની મુલાકાત લઇ મંદિરના જાજરમાન ઈતિહાસથી માહિતગાર બન્યા હતા.

(12:39 am IST)