Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ગાંધીનગર:ઝુંડાલ નર્મદા કેનાલમાં પરિણીતાએ પુત્ર સાથે છલાંગ લગાવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલી ઝુંડાલ નર્મદા કેનાલમાં ગઇકાલે સાંજના સમયે કંકાસથી કંટાળીને મહિલા તેના બે વર્ષના પુત્ર સાથે ઝુંડાલ નર્મદા કેનાલમાં કુદી પડી હતી જો કે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ મહિલાને બચાવીને બહાર કાઢી દીધી હતી. આ બનાવમાં પાણીમાં ડૂબી જવાને કારણે પુત્રનું મોત થઇ ગયું હતું. સ્થાનિકોએ બાળકના મૃતદેહને પણ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે પત્ની સામે પતિએ પુની હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ આપઘાત અને હત્યા માટે હોટસ્પોટ બની ગઇ છે ત્યારે ઝુંડાલ નર્મદા કેનાલમાં માતાએ જ પુત્રની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ચાંદખેડામાં આવેલી અષ્ટક એલીગન્સ વસાહતમાં એફ-૬૦૨માં રહેતા તુલસીભાઇ નટવરભાઇ રાઠોડના લગ્ન ૧૫ વર્ષ અગાઉ વિજાપુરના ખણોસા કોટડી ગામના ડાહ્યાભાઇ મળજીભાઇ લેઉવાની પુત્રી મનિષા સાથે થયા હતા આ લગ્ન જીવન દરમ્યાન મનિષાએ એક બાળકી અને બે વર્ષ અગાઉ એક બાળકને જન્મ આપ્યો હતો. તુલસીભાઇ અમદાવાદમાં જ્વેલર્સની દૂકાનમાં નોકરી કરે છે ગઇકાલે સવારના સમયે તે નોકરી પર જવા માટે નિકળ્યા હતા ત્યારે પત્ની મનિષા પુત્રી અને પુત્ર હેત ઘરે હતા કામ અર્થે તેઓ કલોલ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઝુંડાલ નર્મદા કેનાલ ઉપર લોકોનું ટોળું એકઠું થયું હતુ અને તેને ત્યાં પત્ની મનિષાને પણ જોઇ હતી તેથી તેઓ ત્યાં ઉભા રહી ગયા હતા જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, પત્ની મનિષા પુત્ર હેત સાથે કેનાલમાં પડી હતી અને રાહદારીઓએ મનિષાને બચાવી દીધી હતી જ્યારે બે વર્ષના હેતનું મોત નિપજ્યું હતું. આ મામલે તુલસીભાઇની ફરિયાદને આધારે અડાલજ પોલીસે મનિષાબેન સામે પુત્રની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવી રહ્યું છે. 

(4:58 pm IST)