Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પાદરા એસટી વિભાગની ઘોર બેદરકારીને  કારણે મુસાફરોને રઝળવાનો વારો આવ્યો

સમયસર બસો ન આવતા કલાકો સુધી મુસાફરો અટવાઈ અને જ્યાં જવાનું હોય છે, ત્યાં સમયસર પહોંચી શક્તા નથી :અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ હેરાન 

વડોદરાના પાદરામાં એસટી વિભાગની ઘોર બેદરકારીના પગલે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. બસોના યોગ્ય રૂટ ન હોવાના કારણે પાદરા વડોદરા હાઈવે પર મુસાફરો રઝળી પડયા હતા. એસટી બસ સમયસર ન આવતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

 જાહેર માર્ગ પર બે કલાક ઉભું રહેવા છતા એસટી બસ ન મળતી હોવાનો મુસાફરો અને વિદ્યાર્થીઓના આક્ષેપ છે. બસ નહીં મળતા પાદરા એસટી ડેપોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. એસટી બસોના યોગ્ય રૂટ મૂકવા માટે લોકોએ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી.

(11:26 pm IST)