Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વધુ એક ભાજપના નેતા કોરોનાની ઝપટે : છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાને કોરોના વળગ્યો

ચૂંટણીના માહોલમાં પ્રચાર પ્રસાર દરમિયાન કોરોનાનો શિકાર બન્યા : હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

છોટાઉદેપુર જીલ્લાના ભાજપના પ્રમુખ કોરોનાનો શિકાર બન્યા છે. અને તેમને સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા છે. અને હાલમાં ચૂંટણીના માહોલ માં પ્રચાર પ્રસાર દરમિયાન કોરોના નો શિકાર બન્યા છે. અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખની છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સહીત અન્ય બે ભાજપના દિગ્ગજ નેતા પણ કોરોનાનો શિકાર બન્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ ભાઈ રૂપાણી , ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા અને તેમનો પુત્ર કોરોના ગ્રસ્ત છે. અને હાલમાં હોસ્પીટલમાં સારવાર હેઠળ છે

(12:39 pm IST)