Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 270 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 263 પોઝિટિવ કેસ નોંધાયા:વધુ એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 4403 : કુલ 2,60,198 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 3028 લોકોને રસી અપાઈ : કુલ 8,08,658 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 52, વડોદરા કોર્પોરેશમાં 43, સુરત કોર્પોરેશન 39, રાજકોટ કોર્પોરેશન 22, મહેસાણા 8, વડોદરા-8, ગીર સોમનાથ 7, આણંદ-6, જામનગર કોર્પોરેશન-6, ખેડા-6, સુરત-6, ભરુચ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા રાજ્યમાં હાલમાં 1696 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 263 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 270 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 263 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 270 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,60,198 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી ,રાજ્યમાં  મૃત્યુઆંક  4403 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,71 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે 3028 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,08,658 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં હાલ 1696 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1665 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,198 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 263 પોઝિટિવ  કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 52, વડોદરા કોર્પોરેશમાં 43, સુરત કોર્પોરેશન 39, રાજકોટ કોર્પોરેશન 22, મહેસાણા 8, વડોદરા-8, ગીર સોમનાથ 7, આણંદ-6, જામનગર કોર્પોરેશન-6, ખેડા-6, સુરત-6, ભરુચ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા હતા.

(8:21 pm IST)