Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

સુરતના લોકો સાચવી લે-ભારેથી અતિભારે પવન-વરસાદ પડી શકેઃ બંછાનીધી પાની

રાજકોટ તા. ૧૮ : વાવાઝોડાની ચેતવણીના પગલે સુરતના લોકો થોડો સમય સાચવી લે કારણ કે ભારેથી અતિભારે પવન અને વરસાદ આવી શકે છે તેમ સુરતના મ્યુનીસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ ''આર.જે. હર્ષ'' સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુંબંછાનીધી પાનીએ જણાવ્યું કે, આ વાવાઝોડુ સુરત ક્રોસ કરશે તેની આગામી ૮ કલાક ખુબજ મહત્વના છે.ભારે પવનના કારણે વિજ થાભલાઓ પડે અને વૃક્ષો પણ ધરાશાયી થઇ શકે છે તેથી જાનહાની ન થાય તે માટે લોકો ઘરમાં જ રહે તેવી અપીલ મ્યુનિશીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ કરી છે.

(3:19 pm IST)