Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં ચોથા રાઉન્‍ડમાં ખાલી જગ્‍યા માટે અરજદારો શાળાઓની પુનઃ પસંદગી કરી શકશેઃ જીતુભાઇ વાઘાણીની જાહેરાત

૧૯ થી ર૧ જુન દરમિયાન સબપોર્ટલ ઉપર જરૂરી પ્રક્રિયા કરી શકાશે ફોટો જીતુ વાઘાણી

 

 

રાજકોટ તા.૧૮ : આરટીઇ પ્રવેશ પ્રવેશ પ્રક્રિયાના ૩ રાઉન્‍ડની કામગીરી પુર્ણ થતા ખાલી પડેલ ૭૩પ૪ જગ્‍યાઓમાં જે બાળકોને પ્રવેશ મળ્‍યો નથી અને જે બાળકોને ફાળવવામાં આવેલ શાળામાં ફેરફાર કરી શકાશે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ટિવટ કરીને જણાવ્‍યું છે.

આરટીઇ એસીટી-ર૦૦ની કલમ ૧ર.૧ (સી) અન્‍વ્‍યે બિન અનુદાનિત ખાનગી પ્રાથમીક શાળાઓમાં રપ% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજય દ્વારા સઘન પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા હતા રાજય સરકારના પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણીક વર્ષર૦-રર-ર૩ રાજયની કુલ ૯૯પપ જેટલી બિન અનુદાનિત પ્રાથમીક શાળામાં જુદા જુદા માધ્‍યમમાં કુલ ૭૧.૩૯૬ જેટલી જગ્‍યાએ આરટીઇ હેઠળ ઉપલબ્‍ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયના વિસ્‍તારમાં ઉપલબ્‍ધ શાળાઓમાં નિયમોને ધ્‍યાનમાં લઇ અત્‍યાર સુધીમાં ત્રણ રાઉન્‍ડ બહાર પાડવામાં આવેલ છે જે અન્‍વયે અત્‍યાર સુધીમાં ત્રણેય રાઉન્‍ડના અંતે એકંદર કુલ ૬૪.૦૪ર જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.

આરઇટીઇ પ્રવેશ પ્રક્રિયા ત્રણેય રાઉન્‍ડ બાદ ખાલી રહેવા પામેલ ૭૩પ૪ જગ્‍યાઓ પર આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના વધુને વધુ નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ મળી રહે તે હેતુથી ચોથા રાઉન્‍ડની કાર્યવાહી અંતર્ગત જે વિદ્યાર્થીઓ પ્રથમ, બીજા કે ત્રીજા રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્‍યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા. ર૧/૬/ર૦રર મંગળવાર સુધીમાં આરટીઇના વેબપોર્ટલ  ઁદ્દદ્દષ્ટભ્‍//શદ્દફૂ.ંશ્વષ્ટયિંર્ષીર્શ્વીદ્દ.ણૂંળ પર જઇ શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર કિલક કરવાનું રહેશે. ત્‍યારબાદ એપ્‍લીકેશન નંબર અને જન્‍મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના કમ મુજબની શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.  શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્‍યારબાદ સબમીટ બટન પર કિલક કરી પ્રિન્‍ટ મેળવી પોતાની પાસેરાખવાની રહેશે. આ પ્રિન્‍ટની નલક રિસિવિંગ સેન્‍ટર પર જમા કરાવાની નથી. જેની ખાસ નોંધ લેશો. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઇ મુશ્‍કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્‍પલાઇન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્‍ય રાખી નિયમાનુસાર ચોથા રાઉન્‍ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્‍ડની કામગીરી પુર્ણ થતા ખાલી રહેલી ૭૩પ૪ જગ્‍યાઓમાં જે બાળકોને પ્રવેશ મળ્‍યો નથી અને જે બાળકો ફાળવાયેલી શાળામાં ફેરફાર કરાવવા ઇચ્‍છતા હોય તેઓ ૧પ/૬/ર૦રર ની ર૧/૦૬/ર૦રર  દરમિયાન આરટીઇ ના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુનઃ પસંદગીની જરૂરી પ્રક્રિયામાં સહભાગી થઇ શકશે.

(6:12 pm IST)