Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

હરસિધ્ધિ માતાજીના મંદિરના પટાંગણમાં મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમાની સ્થાપના માટે ભૂમિ પૂજન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજવી નગરી રાજપીપલા પોતાના વારસા માટે પોતાની એક અલગ  ઓળખ ધારવે છે. રાજાઓ મહારાજાઓનો અનેરો ઇતિહાસ ,મહેલોની વિશેષતાઓ, કુદરતી સોંદર્ય નદીઓ પહાડો અને આવી તો કેટલીય વાતો , રાજવીઓના ઈતિહાસની વાત આવે તો આપણ ખાલી યુદ્ધો જ યાદ આવે પણ રાજપીપલા ના એક એવા રાજવી કે જેનો એક અલગ જ ઇતિહાસ છે સોર્ય ની સાથે સાથે ભક્તિ અને ભક્તિ એટલે પોતાના કુળદેવી ને પ્રસન્ન કરી પોતાના મહેલ સુંધી સાથે લાવવા આવા રાજવી એટલે મહારાણા વેરિસાલજી ગોહીલ આવનાર દિવસો માં નર્મદા જિલ્લા રાજપૂત સમાજના યુવાનો દ્વારા માતાજીને લાવનાર રાજવી એવા  મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમા હરસિધ્ધિ માતાજીના મંદિરના પટાંગણમાં સ્થાપવામાં આવશે જેના ભાગ રૂપે આજે રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહજી તથા મહારાણી રુકમણી દેવીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. રાજપુત સમાજના યુવાનો દ્વારા રાજપીપળા સ્થિત રાજપૂતોના દરેક ગામની માટી અને જળ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું.

(10:29 am IST)