Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

નાંદોદના જુનારાજ ગામમાં પ્રેમ સંબંધ હોવાનો વ્હેમ રાખી મારામારી બાદ મારી નાખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદના જુનારાજ ગામમાં રહેતા સંજય મણિલાલ વસાવાની પત્નીને ગામના હસમુખભાઈ ભરતભાઈ વસાવા સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો જે અંગે સમાજ રાહે સમાધાન કરેલ તેમ છતા હસમુખ સાથે પ્રેમ સંબંધ હોવાનો ખોટો વહેમ કેમ રાખે છે તે અંગે સંજયને ગાળો બોલી કહેવા જતાગાળો બોલવાની ના પાડતા હસમુખ ઉશ્કેરાઈ જઈ લાકડી થી માથામાં માર મારી ઈજા કરી હતી તથા ભરતભાઈ સોનજીભાઈ વસાવા અને રાહુલભાઈ ભરતભાઈ વસાવા તમામ (રહે, જુનારાજ )એ ઉપરાણુ લઈ હસમુખને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે 3 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:33 pm IST)