Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઈદ-એ-મિલાદને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : જુલુસમાં 15 લોકોની મર્યાદા : કોવીડ ગાઈડલાઇનનું કરવું પડશે પાલન

અમદાવાદમાં 13 ડીસીપી, 24 એસીપી, 70 પીઆઇ, 225 પીએસઆઇ, 6000 પોલીસકર્મી, એસઆરપી ની 2 થી વધુ કંપની, હોમગાર્ડ, પીસીઆર ગાડી, કયુ.આર.ટી વાહનો અને 91 શી ટીમ તૈનાતરહેશે

અમદાવાદ :કાલે ઈદે મિલાદને લઈ રાજય સરકાર દ્વારા શરતી મંજૂરી આપી છે. જેમાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે અને એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદાનો નિયમ બહાર પડાયો. આ દરમિયાન કોવિડ-19 ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું પડશે.

રાજ્ય સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકામાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ અન્ય તહેવાર ની સરખામણી માં સરકારે અન્યાય કર્યો હોવાની રજૂઆત કરવા કેટલાક નેતા કમિશનર ને મળવા પહોંચ્યા હતા. જોકે સરકારે તેમાં સુધારો કરતા હવે તેઓએ આ નિર્ણયને સ્વીકારી નિયમોનું પાલન કરવા અને કરાવવા બાંયધરી આપી છે.

તો બીજી તરફ પોલીસે પણ આ તહેવાર ને લઈને બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે. 19મીના રોજ શહેરભરમાં 13 ડીસીપી, 24 એસીપી, 70 પીઆઇ, 225 પીએસઆઇ, 6000 પોલીસકર્મી, એસઆરપી ની 2 થી વધુ કંપની, હોમગાર્ડ, પીસીઆર ગાડી, કયુ.આર.ટી વાહનો અને 91 શી ટીમ તૈનાત રાખવામાં આવશે. હાલ આગેવાનો દ્વારા વહેલી સવારથી આ ધાર્મિક તહેવાર ઉજવણી કરી બને એમ ઝડપથી તમામ ગાઈડલાઈન સાથે પૂર્ણ કરવાની અધિકારીઓને ખાતરી આપી છે.

(7:18 pm IST)