Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

નવસારી નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા

નવસારી: શહેર નજીકથી એક ગમખ્વાર સમાચાર સામે આવી રહ્યા છે. નવસારીમાં માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ખેરગામ-પાણીખડક પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3નાં મોત અને 2 લોકોની હાલત ગંભીર છે.

ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો છે. વલસાડના તિથલ ખાતે ફોટો પડાવી પરત ઘરે જતી વેળા ખેરગામ-પાણીખડક માર્ગ ઉપર બાઈકનો ગમખ્તવાર અકસ્માત સર્જાતા ૩ યુવકોના મોત નિપજ્યા છે. ખેરગામના આછવણી ગામે બે બાઈક સામે સામે અથડાતા 3ના મોત, જ્યારે બે ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈનું મોત થતા પરિવાર શોકની લાગણી છવાઇ ગઇ છે. જીગ્નેશ પટેલનું ઘટના સ્થળે મોત અને સાવન પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.

(5:49 pm IST)