Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો : નવા 1281 કેસ નોંધાયા : વધુ 1274 દર્દીઓ સ્વસ્થ થયા :કુલ કેસનો આંક 1,91,642 થયો :કુલ 1,75,362 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 8 લોકોના મોત : મૃત્યુઆંક 3823 થયો

આજે સૌથી વધુ સુરતમાં 224 કેસ, અમદાવાદમાં 220 કેસ,રાજકોટમાં 161 કેસ,વડોદરામાં 142 કેસ,બનાસકાંઠામાં 64 કેસ, ગાંધીનગરમાં 59 કેસ, મહેસાણામાં 45 કેસ,પાટણમાં 42 કેસ, દાહોદમાં 35 કેસ,જામનગરમાં 33 કેસ, ખેડામાં 26 કેસ, મહીસાગરમાં 25 કેસ, અમરેલીમાં 23 કેસ નોંધાયા :રાજ્યમાં હાલ 12,457 એક્ટિવ કેસ

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ  1274 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1281 નવા  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3823 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,457 એક્ટિવ કેસ છે, જ્યારે 1,75,362 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,374 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 91,642 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1,પાટણમાં  મળીને કુલ 8 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1281 કેસમાં સૌથી વધુ સુરતમાં 224 કેસ, અમદાવાદમાં 220 કેસ,રાજકોટમાં 161 કેસ,વડોદરામાં 142 કેસ,બનાસકાંઠામાં 64 કેસ, ગાંધીનગરમાં 59 કેસ, મહેસાણામાં 45 કેસ,પાટણમાં 42 કેસ, દાહોદમાં 35 કેસ,જામનગરમાં 33 કેસ, ખેડામાં 26 કેસ, મહીસાગરમાં 25 કેસ,અમરેલીમાં 23 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 54,256 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 69,78,249 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,50 ટકા થયો છે

(8:00 pm IST)