Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

નડિયાદમાં આખલાની અડફેટે એક વ્યક્તિનું મોત

શહેરની જુદી-જુદી ગલીઓમાં નાસભાગ કરતા આખલાને કારણે ગભરાટનો માહોલ ફેલાઇ ગયો

 

નડિયાદ: શહેરમાં આખલો ગાંડો થતા ફફડાટ ફેલાયો હતો શહેરના કૃષ્ણ જીવન સોસાયટી બહાર ચાલતા જઇ રહેલા 47 વર્ષીય વ્યક્તિ અમરીશભાઈ જયદેવલાલ ગાંધીને આખલાએ અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું

 . વ્યક્તિને અડફેટે લીધા બાદ આટલો ગામમાં ઘુસી જતા ફાયર બ્રિગેડના ઢોર પકડવાના વિભાગને બોલાવવાની ફરજ પડી હતી.જે ફાયર બ્રિગેડની ઢોર પકડવાના વિભાગે લગભગ બે કલાક સુધી આખલાને પકડવા માટે મહેનત કરી હતી. શહેરની જુદી-જુદી ગલીઓમાં નાસભાગ કરતા આખલાને કારણે શહેરમાં ગભરાટનો માહોલ ફેલાઇ ગયો હતો. આખરે બે કલાકની મહેનત બાદ આખલાને પકડી બાંધી દેવામાં આવ્યો છે.

મૃતકના સંબંધી પ્રતીક સુનિલભાઈ બારોટે જણાવ્યું હતું કે, મારા કાકા સોસાયટીમાંથી બહાર નીકળ્યા હતા અને તે સમયે ગાંડો થયેલા આખલાએ તેમને અડફેટે લેતા તેઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને 108 બોલાવી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

(11:26 pm IST)