Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સુરતના કામરેજના ખરસદ ગામ નજીક તળાવમાંથી એક મહિલા-બે બાળકોના મૃતદેહ મળતા ખળભળાટ

મૃતદેહ પાણીમાં ફુલાઈને ઉપર આવતા આ ઘટનાની જાણ થઈ: પોલીસ તપાસનો ધમધમાટ

સુરતના કામરેજ નજીક આવેલ ખરસદ ગામ નજીક તળાવમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એક મહિલા અને બે બાળકો સાથે મૃતદેહ મળી આવ્યા છે. માતા અને તેના બે બાળક પુત્ર અને પુત્રી હોવાનો અને તળાવમાં ડૂબી જતા મોત થયા હોવાનું પ્રાથમિક પ્રાથમિક અંદાજ છે.

હાલ તો આપઘાત છે અકસ્માત છે કે હત્યા તેને લઇને લઈ પોલીસ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે.મૃતદેહ પાણીમાં ફુલાઈને ઉપર આવતા આ ઘટનાની જાણ થઈ હતી. ગામથી તળાવ ઘણું દૂર છે

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્રણેયની કોઈ ઓળખ ન થતા સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણેયના પરિવારજનોને શોધી કાઢવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તળાવમાંથી મળી આવેલા ત્રણેય મૃતદેહોમાં લગભગ 8-9 વર્ષનો છોકરો, 10-11 વર્ષની છોકરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મૃતદેહ 2-3 દિવસ જૂના હોય એમ લાગી રહ્યું છે.

(9:17 pm IST)