Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ મામલે 12 યુવા કાર્યકર્તાઓ સસ્પેન્ડ કરાયા

કાર્યકર્તાઓ સામે શિસ્ત પગલા લઇને પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું કે કોઇ પણ ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે કોંગ્રેસની રાજકિય પરિસ્થિતિ બરાબર નથી,રાજયમાં ઉમેદવારનોની યાદી જાહેર કરતા અનેક અસંતુષ્ઠો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેના લીધે કાર્યકરો પાલડીમાં આવેલ કોંગ્રેસની મુખ્ય કાર્યલય પર તોડફોડ કરી હતી અને અશઓભનીય વર્તન અને વાણીનો પ્રયોગ કર્યો હતો ,જેના લીધે પક્ષની ગરિમાને ભારે નુકશાન પહોંચ્યુ હોવાથી કોંગ્રેસ શિસ્ત સમિતિએ સત્વરે નિર્ણય લઇને જે લોકો તોડફોડમાં સામેલ હતા તેવા 12 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દીધા છે. 12 યુથ કોંગ્રેસના આ કાર્યકર્તાઓ સામે શિસ્ત પગલા લઇને પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું કે કોઇ પણ ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે.

(12:32 am IST)