Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અરવલ્લીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી

ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી

અમદાવાદ :  અરવલ્લીમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે..તેમણે ભાજપના પ્રાથમિક સભ્યથી લઈ તમામ પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.

(8:05 pm IST)