Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ધરમપુર મંદિરમાં ચોરી કરનારાને પકડી પાડતી પોલીસ

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ધરમપુર પીએસઆઇ એ. કે. દેસાઇએ ગતણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ધરમપુરના કાળારામ મંદિરમાં કોઇ ચોર ઇસમે મંદિરની દાનપેટીની ચોરી કરી હતી. આ દાનપેટી તે બહાર લઇ ગયો હતો અને તેમાંથી રોકડની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાને ધરમપુર પોલીસે 24 કલાકમાં ડિટેક્ટ કરી ચોરને પકડી પાડ્યો હતો. ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ધરમપુર પીએસઆઇ એ. કે. દેસાઇએ ગતણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. કાળારામ મંદિરની ચોરીની ઘટના બાદ પોલીસે તેના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને તેમાં દેખાતા એવા થોડા યુવાનોની તપાસ કરી હતી. જેમાં બાતમીના પગલે મંદિરની બાજુમાં જ રહેતા મિતુલ પ્રવિણગીરી ગોસ્વામી બોલાવી પુછતાછ કરતાં તે ભાંગી પડ્યો અને ચોરીની કબૂલાત કરી હતી. જેની પાસેથી પોલીસે ચોરેલા રૂ. 620 કબજે લઇ તેની અટકાયત કરી છે.

(11:04 am IST)