Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 277 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 266 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4404 : કુલ 2,60,475 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના આઠ જિલ્લામાં એકપણ કેસ નહીં : આજે વધુ 1235 લોકોને રસી અપાઈ : કુલ 8,09,893 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે વડોદરામાં 51 કેસ, અમદાવાદમાં 47 કેસ, સુરતમાં 46 કેસ, રાજકોટમાં 29 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ખેડામાં 8 કેસ, જૂનાગઢમાં 7 કેસ મોરબી, પંચમહાલ , જામનગર અને સાબરકાંઠામાં 6 -6 કેસ : રાજ્યમાં હાલમાં 1696 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 266 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 277 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 266 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 277 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,60,475 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક  4404 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,72 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે 315 કેન્દ્રમાં 3028 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,09,893 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં હાલ 1684 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1654 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,475લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 266 પોઝિટિવ  કેસમાં વડોદરામાં 51 કેસ, અમદાવાદમાં 47 કેસ,સુરતમાં 46 કેસ, રાજકોટમાં 29 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ખેડામાં 8 કેસ, જૂનાગઢમાં 7 કેસ મોરબી, પંચમહાલ , જામનગર અને સાબરકાંઠામાં 6 -6 કેસ નોંધાયા હતા

(7:43 pm IST)