Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાજપીપળામાં 20 મી ફેબ્રુઆરીએ મતદાર જાગૃત્તિ રેલી યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા તા.૨૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને શનિવારના રોજ સવારે ૦૮-૩૦ કલાકે જિલ્લા ન્યાયલય સંકુલથી સરદાર ટાઉનહોલ સુધી મતદાર જાગૃત્તિ રેલીનું આયોજન કરાયું છે

 . જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ લીલી ઝંડી ફરકાવી આ રેલીને પ્રસ્થાન કરાવશે. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર,નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ,જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ભાઇ પટેલ પણ તેમાં જોડાશે. આ મતદાર જાગૃતિ રેલીમાં વિવિધ શાળાના NSS ના છાત્રો વગેરે ભાગ લેશે.

(10:31 pm IST)