Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

નર્મદામાં બેફામ જતી ST બસો પર કંટ્રોલ જરૂરી : વધુ એક અકસ્માતમાં આધેડ વ્યક્તિ એ જીવ ગુમાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામ પાસે એસટી બસે છકડા સાથે અકસ્માત કરતા એકનું મોત નિપજ્યું હતું
  પ્રાપ્ત માહિતી અનુસાર અમેશ શનિયાભાઈ વસાવે એ આપેલી ફરિયાદ મુજબ એસ.ટી. બસ નંબર GJ- 18-2- 7906 ના ચાલકે પોતાના કબજામાંનુ વાહન પૂરઝડપે રોંન્ગ સાઇડે હંકારી લાવી આ કામના અમેશભાઈની છકડો રિક્ષા નં.GJ-21-V-6274 ને એક્સીડન્ટ કરી પલ્ટી ખવડાવી ગોનજીભાઇ સામાભાઇ વસાવા (ઉ.વ. આ.૬૫ )(રહે. નાના ડોરઆંબા તા.સાગબારા જિ.નર્મદા) નાઓને માથાના પાછળના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ શરીરે ઓછી-વધતી ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી એસ.ટી બસ સ્થળ ઉપર મૂકી નાશી જઇ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડાજ દિવસ પહેલા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા ગામના રેલવે સ્ટેશન પાસે રાજપીપળાથી સંતરામપુર જતી બસે એક્ટિવા લઈ આવતા પ્રેમાભાઈ ભગવાનભાઈ તડવી ઉ.વ (૬૩)( રહે. ઓરપા ગામ તા.ગરુડેશ્વર જી.નર્મદા )ની એક્ટિવા ગાડીને અડફ્ટમાં લેતા પ્રેમાભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું જ્યારે આ ઘટનામાં પણ એસટી બસ રોંગ સાઈડમાં આવી છકડા ને ટક્કર મારતા આધેડ વ્યક્તિનું મોત થયું હોય માટે બેફામ જતી એસટી બસો પર લગામ જરૂરી છે

(10:05 pm IST)