Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

રાજપીપળા ડેપોના સફાઈ કર્મીઓના પગાર વિષેનાં અખબારી અહેવાલ બાદ ભરૂચ નિયામકે કડક સૂચના આપી

ભરૂચ એસટી નાં વિભાગીય નિયામક દ્વારા સ્પષ્ટતામાં જણાવ્યું કે કર્મીઓનો ચડત પગાર ચૂકવવામાં આવ્યો છે,આગળથી પગાર મુદ્દે કોઈપણ અવરોધ નાં થાય એ અંગે સૂચના અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પાછલા કેટલાંક દિવસોમાં સ્થાનિક વર્તમાનપત્રોમાં એસ.ટી. ડેપોના સફાઈ કર્મીઓના પગાર અંગેના મથાળાવાળા અહેવાલ પ્રસિધ્ધ થયેલા હતા. જે અખબારી અહેવાલ સ્પષ્ટતા અંગે સબંધિત વિભાગને મોકલી આપેલ છે. જે અંગે ભરૂચ એસ.ટી. ના વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, એસ.ટી.ડેપોના સફાઈ કર્મીઓને જુનો ચડત પગાર ચૂકવવામાં આવેલ છે. વધુમાં આગળથી કર્મચારીઓની પગારમાં કોઈ પણ પ્રકારે અવરોધ ઉભો ન થાય તે અંગે સબંધિત અધિકારી-કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે. તેમ અખબારી અહેવાલ બાબતે તે તરફથી ઉક્ત સ્પષ્ટતા કરવામાં આવી છે.

(10:08 pm IST)