Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

પાટણમાં ભારે વરસાદથી ખેડૂતોને પારવાર નુકશાન:લણણી સમયે પાકને નુકશાન થતા મોઢામાં આવેલો કોળીયો છીનવ્યો

-- બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો: પાકને પારાવાર નુકશાન થતા સરકાર પાસે રાહતની માગ કરી

પાટણમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પારવાર નુકશાન થયુ છે. લણણીના ટાણે પાકને નુકશાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો છે. સાથે જ પાકને પારાવાર નુકશાન થતા સરકાર પાસે રાહતની માગ કરી છે.

  ખેડૂતોનુ કહેવુ છે કે મંડળીઓમાં ધીરાણ ભરવાનો સમય આવ્યો અને નુકસાની પણ આવી.પાક વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ પરંતુ નુકસાનીમાં યોગ્ય વળતર ન આપતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે.

(11:51 pm IST)