Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તૌકતે વાવાઝોડાના કારણે રાજપીપળા એસટી ડેપોની તમામ બસો બંધ કરી દેતા અપડાઉન કરતા મુસાફરો અટવાયા

રાજપીપળા એસટી ડેપો માંથી ઉપડતી તમામ રૂટની બસો આજે બપોરથી બંધ કરી દેતા મુસાફરો અટવાઈ પડ્યા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાંથી ઉપડતી તમામ રૂટની બસો તૌકતે વાવાઝોડાના કારણે આજે બપોરેથી બંધ કરાઇ હોવાથી અપડાઉન કરતા મુસાફરો અટવાઈ પડ્યા હતા.
જોકે નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે વાવાઝોડાની અસર થતા માર્ગો ઉપર અસંખ્ય વૃક્ષો પડ્યા હતા જ્યારે અમુક ઠેકાણે વીજળીના પોલ પણ પડ્યા હોય કોઈ અજુક્તિ દુર્ઘત ન બને તે બાબતે રાજપીપળા એસટી ડેપોની તમામ રૂટની બસો ઉપરથી સૂચના મળતા બંધ કરાઇ હોવાનું ડેપો સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું હતું.જેમાં વડોદરાથી રાજપીપળા આવતા જતા નોકરીયાત અને વેપારીઓ સહિતના મુસાફરો અટવાતા એસટી ડેપો પર મુસાફરો અન્ય વાહનોની રાહ જોઈ ઉભેલા જોવા મળ્યા હતા જ્યારે ડેપોમાં પણ તમામ બસો ઉભી કરેલી જણાઈ હતી.

(10:11 pm IST)