Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સ્વાતંત્રસેનાની મનુભાઈ વિઠ્ઠલાણી ગૌલોકવાસી થયા

કોરોના સામે જંગ જીત્યા બાદ તેની સાઈડઈફેકટથી ફરી સ્વસ્થ થઈ શકયા ન હતા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવો દ્વારા બહુમાન કરેલ

રાજકોટઃ દેશના અગ્રગણ્ય સ્વાંતત્ર્ય સેનાની મેંદરડા નિવાસી હાલ રાજકોટ રહેતા વયોવૃધ્ધ શ્રી મનુભાઈ વિઠ્ઠલાણી (ઉ.વ.૯૫) ગૌલોકવાસી થયા છે. ગઈકાલે સાંજે ૭:૩૦ વાગે તેમનાં નિવાસ સ્થાને  અંતિમ શ્વાસ લીધા છે. સમગ્ર પરિવારની હાજરીમાં દેહલોક છોડીને પરલોકવાસી થયા છે. દેશ માટે લડયા બાદ કોરોના સામે પણ લડયા હતાં. તેમજ સારવારની સાઈડ ઈફેકટ થઈ ફરી સ્વસ્થ થઈ શકયા ન હોતા.

રાજકોટ પ્રશાસન તરફથી અધિકારીશ્રીઓ દ્વારા અંતિમ સન્માન આપવામાં આવેલ હતું અને દેશ સેવામાં મનુભાઈની કામગીરીને બીરદાવી. પરિવારને સાંત્વના આપેલ હતી. પરિવારમાં પાંચ પુત્રો સહિત વિશાળ પરિવારને છોડીને સીધાવી ગયેલ છે.

દેશસેવાની કદરરૂપે પૂર્વ રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ, પૂર્વ રાષ્ટ્રપતિ મહામહીમ પ્રતિમા પાટીલ તેમજ હાલના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ પણ તેમનું દિલ્હી ખાતે વિશેષ બહુમાન કરેલ. દેશનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ  હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ  તેઓને સન્માનીત કરેલાં છે.

(11:30 am IST)