Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડું નબળુ પડયું પરંતુ ૨-૩ દિવસ વરસાદ વરસાવતો રહેશે

વાવાઝોડું તૌકતે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિનાશ વેરી ગુજરાત બહાર નિકળી ગયુ છે. દરમિયાન જાણીતા વેધર વોચર કેન્ની તેમના ટવીટર હેન્ડલ ઉપર લખે છે કે આવતા ૩ દિવસ વાવાઝોડાની અસરરૂપે વરસાદ સતત ઝીંકાતો રહેશે. જો કે આ ફરી આવી રહેલ વરસાદ અતીભારે નહિ હોય તો પણ  કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં આ સમયમાં ૩ થી ૪ ઇંચ વરસાદ પડવા સંભવ છે. દિલ્હીમાં પણ જોરદાર પવન સાથે વરસાદ પડતો રહેવાની સંભાવના છે.

(11:30 am IST)