Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગુજરાતમાં વાવાઝોડાએ ૪પનો ભોગ લીધો

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ દિવાલો પડી જતા અનેક લોકોએ જીવ ગુમાવ્યાઃ મહેસુલ મંત્રી કૌશીકભાઇ પટેલની જાહેરાત

રાજકોટ, તા., ૧૯ : તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ૪૫ના જીવ લીધા છે. ભારે તારાજી બાદ હવે મૃત્યુઆંક ચોંકાવનારો આવતા ચિંતા પ્રસરી ગઇ છે. ગુજરાતમાં ૪પના મોત થયાના સમાચારને મહેસુલ રાજયમંત્રી કૌશીકભાઇ પટેલે પણ સમર્થન આપ્યું છે.ગુજરાતમાં વાવાઝોડાને કારણે મૃત્યુ આંકમાં ચોંકાવનારો વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો ૪૫ ઉપર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, અથવા તો કરંટ લાગવાથી થયા છે.અમરેલીમાં ૧૫ મોત (જેમાં મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૧૩ મોત થયા છે.

ભાવનગરમાં ૮ મોત જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૩, છત પડવાથી ૧ મોત થયા છે.ગીર સોમનાથમાં ૮  મોત જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૧, દીવાલ પડવાથી ૪, છત પડવાથી ૧ મોત થયા છે.અમદાવાદમાં ૫ મોત ( જેમાં વીજ કરંટથી ૨, દીવાલ પડવાથી ૨ અને છત પડવાથી૧ નુ મોત) ખેડામાં ૨ના મોત. જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ થયા છે. આણંદમાં ૧ મૃત્યુ, વીજ કરંટથી વડોદરામાં ૧ મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી) સુરતમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં ૧  મૃત્યુ દીવાલ પડવાથી થયું છે.રાજકોટમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં ૧ મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી થયેલ છે. રાજ્યમાં સવારે ૬ થી ૮ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે  સવારે ૬ થી ૮ મા ૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની અસર ઓછી થતા હવે વરસાદ પણ સાવ ઘટયો છે અને સવારથી ઠેર ઠેર તડકો નીકળ્યો છે.

(12:01 pm IST)