Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અકિલાના અહેવાલની અસર: અહેવાલ પ્રસિધ્ધ થતા જ તંત્ર દ્વારા તાત્કાલિક વલસાડ ઔરંગા નદીના બ્રિજનું સમારકામ શરૂ કરાયું : કમર તોડ ખાડા પૂરવાનું તંત્રને હવે ભાન આવ્યું

(કાર્તિક બાવીસી દ્વારા) વલસાડ-ખેરગામનાં કૈલાસ રોડ સ્થિત ઔરંગા નદીના બ્રીજ ઉપર ખાડાઓ પડી જતાં વાહન ચાલકો ભારે તકલીફો વેઠી રહયા હતા. ખુબ જ ઊંડા ખાડાઓને કારણે આ માર્ગ ઉપરથી પસાર થતાં લોકોને કમરતોડ આંચકાઓ અનુભવાતાં હતા. જે અંગેનો અહેવાલ અકિલામાં પ્રસિદ્ધ થતાં વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ઔરંગા નદીના બ્રીજ ઉપર ખાડા પુરવાનું શરૂ કરાયું છે. ખાડા પુરાતા વાહનચાલકોને કેટલેક અંશે રાહત થશે. જો કે વરસાદ રોકાતા આ માર્ગ ઉપર ડામરીકરણ કરવું અત્યંત જરૂરી છે.

(6:15 pm IST)