Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ભૂપેન્દ્રભાઈએ શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ દાદાના પૂજન અર્ચન કર્યા: રુદ્રી, અભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી આરાધના કરી:

અમદાવાદ :  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે દેશના પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનાની અષ્ટમીના પવિત્ર દિવસે દર્શન કરી રુદ્રી સહિત પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્યશ્રી જશાભાઈ બારડ સહિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના સચિવ અને અધિક કલેકટર શ્રી યોગેન્દ્ર દેસાઈ વગેરેએ મુખ્યમંત્રીશ્રીને મંદિર પરિસરમાં આવકાર્યા હતા અને પૂજા અર્ચનમાં સાથે રહ્યા હતા.

(3:42 pm IST)