Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઊજવણી : રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે

 
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  શુક્રવારે વિરમગામ શહેર સહિત જિલ્લાભરમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ભવ્ય  ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના વિવિધ તહેવારોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે  લોકો કૃષ્ણમય બની ગયા હતા. વિરમગામ શહેરમાં ઐતિહાસિક  રામ મહેલ મંદિર, કૃષ્ણ મંદિર, સ્વામિનારાયણ મંદિર, ખોડીયાર મંદિર પાસે સહિતના વિવિધ મંદિરમાં હર્ષોલ્લાસ સાથે જય રણછોડ માખણચોરના જય જય કાર સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય  ઉજવણી કરવામાં આવી રહી છે. રાત્રે બાર વાગ્યે બાલગોપાલના જન્મ નિમિત્તે નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલકી,  હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદથો ગુંજી ઉઠશે અને ભક્તો બાલગોપાલને પારણે ઝુલાવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના-મોટા મંદિરોને શણગારવામાં આવ્યા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જૈનવાડી ખાતે જન્માષ્ટમી પૂર્વે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા અનેક લોકો દ્વારા જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

 

(4:55 pm IST)