Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજ્યમાં કોરોનાના હાંફ્યો : નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 15 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 :કુલ 8.15.505 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજયમાં આજે વધુ 2.52.407 લોકોનું રસીકરણ કરાયું

સુરતમાં 4 કેસ, વડોદરામાં 3 કેસ, અને વલસાડમાં 1 કેસ નોંધાયો : હાલમાં 136 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 15 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 15 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15..505 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.52.407 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 5. 66.87.540 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 136 એક્ટિવ કેસ છે, જેમાંથી 3  લોકો વેન્ટિલેટર પર અને 133 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.505  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 8 કેસમાં સુરતમાં 4 કેસ, વડોદરામાં 3 કેસ, અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે

(9:41 pm IST)