Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પૂર્વ નયાંવ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે કહ્યું - રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવશે તો બાકી રહેલી કોંગ્રેસનો અંત આવશે

નીતિનભાઈએ હાસ્ય કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ મને કહ્યું હતું કે હું કોંગ્રેસને ખતમ કરીને જ રહીશ: રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સભાઓ ગુંજી રહી છે. એક બાદ એક નેતાઓ વિપક્ષ સામે સવાલો કરી રહ્યા છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન સુરતમાં ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સભાને સંબોધતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાહુલ ગાંધી પર હાસ્ટ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ફાયદો થશે

જાહેર સભાને સંબોધન કરતા પૂર્વ  ડેપ્યુટી સીએમ નિતીનભાઈ  પટેલે જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવશે તો બાકી રહેલી કોંગ્રેસનો પણ અંત આવશે. કોંગ્રેસને જલ્દી થી જલ્દી ભારત મુક્ત કરી દે. જેટલું બોલશે ખરાબ બોલશે. ભારત માતાના વિરુદ્ધમાં બોલશે.. હિન્દુત્વના વિરુદ્ધમાં બોલતા રહેશે. રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો છે. હું રાહુલ ગાંધીને કહીશ કે તમારી ભારત જોડો યાત્રા પૂર્ણ ના કરતાં અને ગુજરાતમાં પણ આવજો. ગુજરાતમાં જે થોડું કોંગ્રેસ બચ્યું છે તે પણ સાફ થઈ જાય. કઈ જ બાકી નહીં રહે.

વધુમાં નીતિનભાઈ  પટેલે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ મને કહ્યું હતું કે હું કોંગ્રેસને ખતમ કરીને જ રહીશ.સાચું કહું છું મને કહ્યું હતું. આ ઉપરાંત કહ્યું કે, વીર સાવરકરનું અપમાન એ પૂરા દેશનું અપમાન છે. હિન્દુત્વનું અપમાન છે. સાવરકરે હિન્દુત્વ માટે કામ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા સ્ટાર ચૂંટણી પ્રચારકો મેદાને ઉતારાયા છે. કેન્દ્રિય ભાજપ નેતાઓએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે છે

(8:02 pm IST)