Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના ગંભીર આરોપ લાગ્યા

 સુરતના કતારગામ વિસ્તારના રાજુ દિયોરા, ભરત પટોળિયા સહિતાના AAPના પાયાના કાર્યકરોએ આક્ષેપ કર્યો

અમદાવાદ :  કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આરોપ લાગ્યા છે.  સુરતના કતારગામ વિસ્તારના રાજુ દિયોરા, ભરત પટોળિયા સહિતાના AAPના પાયાના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે રૂપિયા લઈને પાર્ટીમાં ટિકિટ વેચવામાં આવી છે.  આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરીને આયાતી અને રૂપિયા આપનારા લોકોને ટિકિટ ફાળવી દેવામાં આવી છે.

 આ મુદ્દે માત્ર કતારગામ કે સુરત જ નહીં ગુજરાતમાં ઠેક-ઠેકાણે રોષ છે. રાજુ દિયોરાએ AAPના રૂપિયા લઈ ટિકિટ વેચતા નેતાઓને ખુલ્લા પાડવા આવતીકાલે મહા સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતભરમાંથી AAPના નારાજ કાર્યકરો જોડાશે તેવો રાજુ દિયોરાએ દાવો કર્યો હતો .

(10:23 pm IST)