Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

હવે ગુજરાતના ચાર ગામડાઓમાં દારુબંધી નહીં હોયઃ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં ભળી જશે

દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલ દાદરા અને નગર હવેલીમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મેદ્યવાલ, નગર, રાયમલ અને મધુબન છે. અહીં ટુરિઝમનો વિકાસ થશે : સૌરાષ્ટ્રમાં દીવની પાસે આવેલ ઘોઘાલા ગામનો એક વિસ્‍તાર પણ દીવ યુટીમાં ભેળવી દેવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૨૦: એ તો સર્વવિદિત છે કે ડ્રાય ગુજરાતના છાંટોપાણીના શોખીન લોકો રાજયને અડીને આવેલા કેન્‍દ્રશાસિત પ્રદેશો (UT)માં નિયમિતપણે વારંવાર પોતાનો શોખ પૂરો કરવા માટે જાય છે. પછી તે દીવ હોય કે દમણ કે પછી દાદરા અને નગર હવેલી જોકે કે આ શોખીન ગુજરાતીઓ માટે હજુ કેટલાક વિસ્‍તાર વધી શકે છે. વિગતે ચર્ચા કરીએ તો ગુજરાતના દક્ષિણ છેડે દાદરા અને નગર હવેલીના કેન્‍દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામડાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવના કેન્‍દ્રશાસિત પ્રદેશની નજીકન આવેલ એક ગામડાનો કેટલોક વિસ્‍તાર કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવામાં આવશે. જેને પગલે કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો પ્રવાસ વધુ મૈત્રીપૂર્ણ બનશે.
આ નિર્ણયની એક મોટી અસર એ થશે કે અત્‍યાર સુધી દારુબંધી ધરાવતા ગુજરાતનો ભાગ રહેલા આ વિસ્‍તારોમાં દારૂ બિન્‍દાસ્‍તપણે ઉપલબ્‍ધ થશે. આ પગલાથી દારૂ અને વીકેન્‍ડ ટુરીઝમને પ્રોત્‍સાહન મળવાની અપેક્ષા છે, જોકે પોતાની સરહદમાં દારુબંધીના પોતાના નિર્ણયને ચાલુ રાખવા ગુજરાત દ્રઢતા સાથે વળગીને તેનું પાલન કરશે
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્‍દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે તેમાં મેદ્યવાલ, નગર, રાયમલ અને મધુબન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ગોખલા ગામનો એક વિસ્‍તાર દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશને સોંપવામાં આવશે. કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે વલસાડના ચાર ગામોને દાદરા અને નગર હવેલીમાં અને ગુજરાતના દ્યોદ્યાલા ગામનો એક વિસ્‍તાર દીવના યુટીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ટોચના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, ગોવામાં ૨૮ જાન્‍યુઆરીએ યોજાનારી પશ્ચિમી પરિષદની સ્‍થાયી સમિતિની બેઠકમાં નિર્ણયને ઔપચારિક બહાલી આપવામાં આવે તેવી શક્‍યતા છે.
ટોચના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, મેદ્યવાલ ગામ સંપૂર્ણપણે કેન્‍દ્રશાસિત પ્રદેશથી દ્યેરાયેલું છે જયારે અન્‍ય ત્રણ ગામો મધુબન ડેમ જળાશય અને દાદરા અને નગર હવેલી વિસ્‍તારની વચ્‍ચે આવે છે. ચોમાસામાં આ ગામોનો મોટાભાગનો વિસ્‍તારો પાણીમાં ડૂબી જાય છે અને તેમનો એકમાત્ર પ્રવેશ કેન્‍દ્ર શાસિત પ્રદેશમાંથી જ રહે છે. ગુજરાતના આ ચાર ગામોને કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાની માંગણી અને સૂચન લાંબા સમયથી પડતર હતું. જે ગામડાઓમાં પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગારને વેગ આપશે.

 

(10:53 am IST)