Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રાજ્યના 7 નાયબ કલેકટરની બદલી : નવસારીના પ્રાન્ત તુષાર જાનીને ગીર સોમનાથ અને પેટલાદના શ્રીમતી મનીષા બ્રહ્મભટ્ટને ભાવનગર મુકાયા

રાજકોટ, તા. ર૦ :  રાજયના મહેસુલ વિભાગ દ્વારા આજે ૭ નાયબ કલેકટરોની બદલીના હુકમ વિભાગના નાયબ સચિવ અમિત ઉપાધ્‍યાયની સહીથી કરવામાં આવ્‍યા છે. જેમાં સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા બે ફેરફારો છે.
પેટલાદના પ્રાંત અધિકારી શ્રીમતી મનીષા બ્રહ્મભટ્ટને ભાવનગર નાગરિક સંરક્ષણમાં નાયબ નિયંત્રક તરીકે અને નવસારીના પ્રાંત અધિકારી તુષાર જાનીને ગિર સોમનાથમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મુકવામાં આવ્‍યા છે.

 રાજયના 7 જેટલા નાયબ કલેકટર સવર્ગ વહીવટી સેવા જુનિયર સ્કેલના વર્ગ-1ના અધિકરીઓની બદલી કરાઈ છે જેમાં નવસારીના પ્રાન્ત તુષાર જાનીને ગીર સોમનાથ અને પેટલાદના શ્રીમતી મનીષા બ્રહ્મભટ્ટને ભાવનગર મુકાયા  છે
રાજ્યના 7 નાયબ કલેકટરની બદલી કરાઈ છે જેની વિગત આ મુજબ છે



 

(2:51 pm IST)