Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અદાણી ફાઉન્‍ડેશનના વહીવટી નિયામક વસંતભાઇ ગઢવીનો જન્‍મદિન

રાજકોટ, સુરત અને અમદાવાદના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાતના આઇ. એ. એસ. કેડરના નિવૃત અધિકારી વસંતભાઇ ગઢવીનો જન્‍મ તા.ર૦ જાન્‍યુઆરી ૧૯પ૩ના દિવસે થયેલ આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.કોમ.ની પદવી ધરાવે છે તેઓ હાલ અદાણી ગ્રુપની સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્‍થા અદાણી ફાઉન્‍ડેશનમાં વહીવટી નિયામક તરીકે સેવા આપી રહ્યા છે. લેખન અને વ્‍યાખ્‍યાન ક્ષેત્રે પણ સક્રિય છે.

શ્રી વી. એસ. ગઢવી અગાઉ કચ્‍છમાં જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ, સુરત અને અમદાવાદ જિલ્લા કલેકટર, રાજયના માહિતી નિયામક મનોરંજન કર કમિશ્નર, સહકાર સચિવ, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીમાં અધિક મુખ્‍ય વહીવટી અધિકારી નાણા નિગમના મેનેજીંગ ડીરેકટર, ખનીજ વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, પાણી પુરવઠા વિભાગના સચિવ પાણી પુરવઠા બોર્ડના ચેરમેન, મહેસુલ વિભાગમાં અગ્રસચિવ, મુખ્‍ય માહિતી અધિકાર કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૧૩૦-અમદાવાદ

(2:04 pm IST)