Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે નવા 8 કેસ પોઝિટિવ નોંધાયા :વધુ 3 દર્દી સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.569 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 20.214 લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં 23 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે વધુ 3 દર્દી સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,569 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,043  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 20.214 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,79..82.474 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 23 એક્ટિવ કેસ છે.જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર નથી,જયારે 22 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ અને વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે

(7:24 pm IST)