Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મહારાષ્ટ્રના અમરાવતીમાં લોકડાઉનની અસર ગુજરાતમાં :વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

તમામ યાત્રીઓનું સ્કીનીગ અને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવા ફરમાન : જિલ્લા કલેકટર ની બેઠકમાં પણ મહારાષ્ટ્રમાં વકરેલા કોરોનાની નોધ લેવાઈ

વલસાડ : મહારાષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં થઇ શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત અડીને આવેલ રાજ્યો છે. જેને પગલે મહારાષ્ટ્ર સરહદ સાથે સલગ્ન પેવા ગુજરાતના જીલ્લોમાં કોરોના મામલે સુરક્ષા વધારી દીધી છે.

વલસાડ જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવલો છે. મહારાષ્ટ્રથી વલસાડ અંદર આવનાર તમામ બોર્ડર ઉપર આવતી કાલ થી આવનાર તમામ યાત્રીઓનું સ્કીનીગ અને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવા ફરમાન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર થી અથવા અન્ય રાજ્ય માંથી આવનાર તમામ ની નોધ લેવામાં આવશે. અને જરૂર પડે તંદુરસ્ત હોય તેવા ને પણ જરૂર પડે કોરોનટાઈન કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વધેલા કોરોના કેસ અને લાગુકરવામાં આવેલા લોક ડાઉન ને લઇ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. વલસાડ જિલ્લા કલેકટર ની બેઠકમાં પણ મહારાષ્ટ્રમાં વકરેલા કોરોનાની નોધ લેવાઈ છે. લગ્ન પ્રસંગ, સામાજિક મેળાવડા ઉપર ખાસ ધ્યાન રાખવા અને ભીડ ભેગી નહિ કરવા ફરમાન કરવામાં આવ્યું છે. જો કે હાલમાં વલસાડ જિલ્લામાં કોરોનાના નહીવત કેસ છે પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નિયંત્રણ માટે સાવચેતી રાખવા લોકો ને અપીલ કરવામાં આવી છે.

(8:36 pm IST)