Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

સુરતના પુણાગામ વિસ્તારમાં પરિવારની મરજી વિરુદ્ધ મળવા માટે પ્રેમીએ દબાણ કરતા પ્રેમિકાએ આપઘાત કરી મોતને વ્હાલું કરતા ચકચાર

સુરત: શહેરનાપુણાગામ વિસ્તારમાં વિધવા માતા સાથે રહેતી તનવી (ઉ.વ. 15 નામ બદલ્યું છે) ઘરકામ કરી માતાને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. તનવીને છેલ્લા પાંચેક મહિનાથી કામરેજ વિસ્તારમાં રહેતા સગીર નિરજ સાથે પ્રેમસબંધ હતો. તનવીએ પોતાના પ્રેમસબંધની જાણ માતાને કરી હતી. માતાએ પરિવારના અન્ય સભ્યોની મંજૂરીથી તનવી અને નિરજના પ્રેમસબંધનો સ્વીકાર કરી તેઓ પુખ્ત થાય ત્યાર બાદ સગાઇ કરવાનું અને ત્યાર બાદ લગ્ન કરાવી આપશે એમ કહ્યું હતું. પરંતુ ત્યાં સુધી એકબીજાને મળશે નહીં તેવું નક્કી કર્યુ હતું.

પરંતુ છેલ્લા કેટલાક નિરજ તનવીની એકલતાનો લાભ લઇ તેના ઘરે મળવા જતો હતો. દરમિયાનમાં નિરજે તેના સબંધીને ત્યાં તનવીને જબરજસ્તી લગ્નમાં લઇ ગયો હતો અને બે દિવસ સુધી પરત નહીં આવતા તનવીને તેના મામાનો દીકરો લઇ આવ્યો હતો. તનવી પરત આવી ત્યારે તેના ગળાના ભાગે નખના ઉઝરડાના નિશાન હતા પરંતુ તેણે માતાને આ બાબતની જાણ કરી ન હતી. જોકે ત્યાર બાદ ઘરકામ કરવા જતી તનવીને રસ્તામાં આંતરી નિરજે તમાચા માર્યા હતા અને મળવા માટે દબાણ કરતો હતો. જેથી તનવીએ બે દિવસ અગાઉ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે નિરજ વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)