Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વિરમગામ ખાતે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખે કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી

૪૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને રસી લેવા માટે પ્રોત્સાહીત કરાયા, કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા દ્વારા વિરમગામ તાલુકામાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે કોવીશીલ્ડ વેક્સિન વિવિધ રસીકરણ કેન્દ્રો પર આપવામાં આવી રહી છે ત્યારે વિરમગામ ખાતે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ દ્વારા કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. ૪૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને રસી લેવા માટે પ્રોત્સાહીત કરાયા અને કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી હોવા અંગે માહીતી આપી હતી.

 રસીકરણ કેન્દ્ર પર નવદિપસિંહ ડોડીયા, કિરીટસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ બારડ,  રણધીરસિંહ પઢેરીયા, યોગેન્દ્રસિંહ ગોહિલ, મિલનભાઇ ઠક્કર, મયુરભાઇ ચાવડા, દિપકભાઇ ડોડીયા, મહેશભાઇ દેસાઇ,  નીલકંઠભાઇ વાસુકિયા, કાર્યકર્તાઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

   અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ તાલુકામાં રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે વહિવટી તંત્ર ઉપરાંત સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, જ્ઞાતિના આગેવાનો, સંતો મહંતો લોકો દ્વારા અમૂલ્ય સહયોગ આપવામાં આવી રહ્યો છે. કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્કાર દ્વારા અભિવાદન કરવું, વ્યક્તિઓ વચ્ચે   સોશિયલ ડિસ્ટન્સ  રાખવું. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. બાકી રહી ગયેલા ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અને ૬૦ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને પણ રસી આપવામાં આવી રહી છે.

(6:10 pm IST)