Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર કરી શકશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મોટી જાહેરાત

કોઈ પણ જાતની મંજૂરી લેવાની રહેશે નહીં માત્ર જાણ કરવાની રહેશે.

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ  રુપાણીએ પ્રજોજોગ સંબોધનમાં જણાવ્યું કે 15 માર્ચની આસપાસ 41 હજાર દર્દીઓ માટે બેડ હતા. 20-25 દિવસમાં 78,000 બેડ ઉપલબ્ધ કર્યાં. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલોને 15 જૂન 2021 સુધી કોરોનાની સારવારની મંજૂરી રહેશે.

આ સાથે જ મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ, ક્લિનિક્સ, નર્સિંગ હોમના ડૉક્ટર્સ અને સંચાલકો કોરોના દર્દીઓને સારવાર આપી શકશે. તેમને કોઈ પણ જાતની મંજૂરી લેવાની રહેશે નહીં માત્ર જાણ કરવાની રહેશે.

(9:42 pm IST)