Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 244 નવા કોરોના કેસ નોંધાયા અને સાથે વધુ 131 દર્દીઓ સાજા થયા : રાજયમાં આજે પણ કોઈ કોરોના દર્દીનું મૃત્યુ નથી નોંધાયું : રાજ્ય નો કુલ મૃત્યુઆંક 10,946 : અત્યાર સુધીમાં કુલ 12,15,323 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 10,937 લોકોનું રસીકરણ કરાયું

આજે પણ મોટા ભાગ નાં કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા : રાજયમાં હાલમાં 1374 કોરોના નાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં આજે કોરોનાના નવા 244 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 131 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,15,323 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.0 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવંતુ રહેતા આજે રાજયમાં વધુ 10,937 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,08,64,466 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 1374 એક્ટિવ કોરોના ના કેસ છે અને આમાથી 5 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 234 કેસમાં અમદાવાદમાં 120 કેસ, સુરતમાં 38 કેસ, વડોદરામાં 34 કેસ, રાજકોટ શહેરમાં 10 કેસ, ભાવનગર, ગાંધીનગર અને વલસાડમાં 6-6 કેસ, ભરુચ, જામનગર અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ, આણંદ - મહેસાણા અને નાસરીમાં 3-3 કેસ, ખેડા માં 2 કેસ અને કચ્છ માં 1 હેસ નોંધાયો છે.

(8:17 pm IST)