Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિરમગામના નાયબ મામલતદાર જી એન ગોહિલની શ્રી રામમહેલ મંદિરના મહંત દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી

નિવૃત્તિ બાદ પણ સામાજિક કાર્યમાં પ્રવૃત રહી કાર્યો કરવા માટે અગ્રીમ શુભકામનાઓ પાઠવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકા સેવાસદન ખાતે નાયબ મામલતદાર મહેસુલ તરીકે ફરજ બજાવતાં જી એન ગોહિલ ૩૦ જૂન ૨૦૨૨ ના રોજ વય નિવૃત થનાર છે ત્યારે શનિવારે વિરમગામના જાણીતા શ્રી રામમહેલ મંદિરના મહંત શ્રી રામકુમારદાસ બાપુ દ્વારા તેમની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. બાપુ દ્વારા વયનિવૃત્ત થનારા જી એન ગોહિલ ને ચાદર ઓઢાડી શિવપુરાણ ભેટ આપી નિવૃત્તિ બાદ પણ સામાજિક કાર્યમાં પ્રવૃત રહી કાર્યો કરવા માટે અગ્રીમ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

(10:16 pm IST)