Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માતુશ્રી હિરાબાના સ્વાસ્થ્ય માટે SGVP દર્શનમ્ સંસ્કૃત્ મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા પ્રાર્થના

અમદાવાદ : ભારતના ગૌરવવંતા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માતા હિરાબા ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજે તેમના નિવાસ સ્થાન વડનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે

નિડરતા, પ્રામાણિકતા, જેવા ગુણો જેમના લોહીમાં વહે છે એવા હિરાબાના ૧૦૦ મા જન્મદિન નિમિત્તે તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે એસજીવીપી ઇન્ટરનેશન સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની ધૂન કરી જનમંગળના સ્તોત્રનો પાઠ કર્યો હતો  

(5:17 pm IST)