Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભીમ એકાદશીના પુનિત પર્વે મેમનગર ગુરૃકુલમાં યોજાયેલ આમ્રકુટોત્સવઃ ૬૦૦૦ કિલો કેરીઓ ગરીબોને વહેંચવામાં આવી

અમદાવાદ તા.૧૯ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં મેમનગર ગુરુકુલ ખાતે ૮૫ કલાકની અખંડ ધૂન રાખવામાં આવેલ.

તે પ્રસંગે પુરાણી સ્વામીની સ્મૃતિમાં આમ્રકુટોત્સવ પણ યોજવામાં આવેલ, જેમાં કચ્છ, તાલાળા, દ્રોણેશ્વર વગેરે સ્થળો તેમજ અન્ય હરિભકતો દ્વારા લવાયેલ ૬૦૦૦ કિલો ઉપરાંત કેરીઓ ઠાકોરજીને ધરાવવામાં આવેલ.

તમામ પ્રસાદીની કેરીઓ ગરીબોને વહેંચવામાં આવેલ.

(2:59 pm IST)