Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં વકરતો કોરોના :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 નવા કેસ નોંધાયા:વધુ 130 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,15.453 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 45.769 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1461 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 217 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 130 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.15.453 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.99 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 45.769 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.09.10.235 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં પાંચ દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 1456 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 217 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 97 કેસ,સુરત કોર્પોરેશનમાં 35 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 30 કેસ,સુરતમાં 10 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 6 કેસ, મહેસાણામાં 4 કેસ, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 3-3 કેસ,અમદાવાદ, ભરૂચ,ગાંધીનગર, રાજકોટ. રાજકોટ કોર્પોરેશન. અને વલસાડમાં 2-2 કેસ, અમરેલી,આણંદ ,ભાવનગર,ગીર સોમનાથ,ખેડા, મોરબી , સાબરકાંઠા સુરેન્દ્રનગર,તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે 

(7:32 pm IST)