Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

નર્મદા જળસંપતિ-પાણી પુરવઠા-કલ્પસર વિભાગના રર૩ મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેરોની બદલી-બઢતી

રાજકોટના-૧૩, ભાવનગરના-૯ અને ભુજના પ ઇજનેરોનો સમાવેશ

રાજકોટ, તા., ૨૦: નર્મદા જળસંપતી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ મદદનીશ (સી) વર્ગ ર અને અધિક મદદનીશ ઇજનેર વર્ગ-૩ને શરતોને આધીન બઢતી આપીને નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-ર તરીકે નિમણુંક અપાઇ છે. રાજયના રર૩ જેટલા મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી સાથે બદલી કરાઇ છે.  જેમાં રાજકોટના મૌલીકકુમાર મહેતા, પરેશ પાંચોટીયા, સમીર મકવાણા, રાજેશકુમાર જાડેજા, નિકુંજકુમાર ખોરાસીયા, ધર્મેશકુમાર વાઘેલા, મહેશ પરમાર, વિજયકુમાર વાઘ, અભિષેક રવૈયા, નીતીનકુમાર ચાંઉ, જયદીપ ચુડાસમા, વિજય સુત્રેજા, વિનોદકુમાર ગઢવી જયારે ભાવનગરના કમલેશકુમાર ગજ્જર, મનીષ જીકાદરા, મેહુલ પરમાર, સોહમ સરવૈયા, કિશનકુમાર ચોટલીયા, હિતેશ કણજારીયા, ઉમેદ હદવાણી, ભાવેશકુમાર પટેલ તેમજ ભુજના પ્રિતેશ પિત્રોડા, નીરવ સોલંકી, વિજયકુમાર પરમાર, જુસબ સંગાર સહીતની બઢતી કરાઇ છે.

(3:19 pm IST)