Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મેઘરાજની દે ધનાધન:ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગરગડીયાનો પુલ પાણીમાં ગરકાવ

નવસારીના ખેરગામ તાલુકાના નાંધઇ અને વલસાડના મરલા ગામને જોડતો ગરગડીયાનો પુલ પાણીમાં ગરકાવ થતા ખેરગામ અને વલસાડના ગામો સંપકવિહોણા બન્યા : ખેરગામ પોલીસ દ્વારા પાણીમાં ગરકાવ પુલ પાસે કોઈ જાનહાની નહિ થાય એ માટે હોમગાર્ડના જવાનોને તૈનાત કરાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ખેરગામ તાલુકામાં 40 કલાકમાં 257 એમ.એમ (10.11ઈંચ) જેટલો ધોધમાર વરસાદ ખાબકતા ખનકીનાળા અને ખેતરોમાં ચારે તરફ પાણી પાણી નજરે પડયા હતા.જ્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ખેરગામ તાલુકા માંથી પસાર થતી ઔરંગા સહિતની લોકોમતાઓમાં ઘોડાપુર આવતા ખેરગામ તાલુકાના નાંધઇ અને વલસાડના મરલા ગામને જોડતો ગરગડીયાનો પુલ પાણીમાં ગરકવા થઈ ગયો હતો.જેના કારણે ખેરગામ અને વલસાડના ગામોનો સંપક તૂટી જતા ખેરગામમાં આવતા લોકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી.અર્ધો જુલાઈ માસ વીતવા છતાં પણ વરસાદ નહિ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.પરંતુ ગત શનિવારની રાત્રે થી મેઘરાજાની દેધનાધન ઇનિંગના કારણે સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના 40 કલાકમાં 257 એમ.એમ.(10.11ઈંચ) જેટલો વરસાદ ખાબકતા ખનકી નાળા અને ખેતરો પાણી પાણી નજરે પડી રહ્યા છે

 .જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેરગામ તાલુકા માંથી પસાર થતી ઔરંગા સહિતની લોકમાતાઓમાં ઘોડાપુર આવતા નદી બને કાંઠે વહેતી થઈ હતી.જેના કારણે ખેરગામ તાલુકાના નાંધઇ અને વલસાડના મરલા ગામને જોડતો ગરગડીયાનો પુલ પાણીમાં ગરકાવ થતા ખેરગામ અને વલસાડના ગામો સંપકવિહોણા બન્યા હતા.સાથે ખેરગામ પોલીસ દ્વારા પાણીમાં ગરકાવ પુલ પાસે કોઈ જાનહાની નહિ થાય એ માટે હોમગાર્ડના જવાનોને તૈનાત કરી દીધા હતા.જ્યારે વલસાડના મરલા,કાપરિયા,દુલસાડ,સારંગપુર સહિતના ગામના લોકો ધધાં અર્થે આવતા લોકોએ ખેરગામ તાલુકામાં આવવા માટે લાંબો ચકરાવો કરી આવની નોબત આવી હતી.

(10:37 am IST)