Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

માખણ અને મિશ્રી બંને શ્રીકૃષ્ણને પ્રિય છે તેથી જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને આ બંને વસ્તુઓ અર્પણ કરો. તેમાં તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરો

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો તેથી દર વર્ષે આ તિથિએ કાન્હાનો જન્મદિવલ ધામધુમપૂર્વક ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં જન્માષ્ટમીનું એક આગવું મહત્વ છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં એવું કોઈ મંદિર નહીં હોય જ્યાં આ તહેવાર ધામધુમથી મનાવવામાં આવતો ન હોય?. જન્માષ્ટીમને ગુજરાતના લોકો ગોકુળ આઠમથી પણ ઓળખે છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. તેથી દર વર્ષે આ તિથિએ કાન્હાનોનો જન્મદિવલ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવે છે.

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને આ વસ્તુઓ કરો અર્પણઃ-

માખણ અને મિશ્રીઃ-

માખણ અને મિશ્રી બંને શ્રીકૃષ્ણને પ્રિય છે. તેથી જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને આ બંને વસ્તુઓ અર્પણ કરો. તેમાં તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરો.

પંજીરીઃ-

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ધાણા પંજીરી ચઢાવવામાં આવે છે. તેના માટે ધાણા પાવડરમાં કાજુ, બદામ, ખાંડ અને ઘી મિક્સ કરીને કાન્હાને અર્પણ કરો.

મખાનાની ખીરઃ-

શ્રી કૃષ્ણને મખાનાની ખીર પસંદ છે. તેથી જન્માષ્ટમી પર કન્હૈયાને મખાના અને ડ્રાયફ્રૂટ્સવાળી ખીર ચઢાવો.

પંચામૃતઃ-

જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે અને પ્રસાદ તરીકે પણ વહેંચવામાં આવે છે.

મખાના પાગઃ-

મખાના પાગ જન્માષ્ટમીના દિવસે જ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણને અર્પણ કરો.

લોટની પંજીરીઃ-

એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને લોટની પંજીરી ખૂબ જ પ્રિય છે, તેથી કાન્હાને ધાણા અને લોટની પંજીરી બંને ચઢાવવા જોઈએ.

જન્માષ્ટમી પર રચાયેલા શુભ યોગઃ-

અભિજીત મુહૂર્ત- 18મી ઓગસ્ટે બપોરે 12:05થી 12:56 સુધી

ઉદય- 10મી ઓગસ્ટે રાત્રે 8.56 વાગ્યાથી 18મી ઓગસ્ટના રાત્રે 8.41 વાગ્યા સુધી

ધ્રુવ યોગ-    18 ઓગસ્ટે રાત્રે 8:41 વાગ્યાથી 19 ઓગસ્ટના રાત્રે 08:59 વાગ્યા સુધી

જ્યોતિષના મતે આ વર્ષે અષ્ટમી 18 ઓગસ્ટની રાત્રે 9.20 વાગ્યાથી શરૂ થશે અને 19 ઓગસ્ટની રાત્રે 10.59 વાગ્યા સુધી રહેશે. પૂજાનો સમયગાળો 18 ઓગસ્ટે બપોરે 12.03થી 12.47 સુધીનો રહેશે. આ સ્થિતિમાં પૂજા માટે કુલ 44 મિનિટનો સમય આપવામાં આવશે. તે જ સમયે, 19 ઓગસ્ટના રોજ સવારે 5:52 વાગ્યા પછી પારણા થશે. આવી સ્થિતિમાં આ વર્ષે જન્માષ્ટમી વ્રત 18 ઓગસ્ટે રાખવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની રાત્રે 12 વાગે થયો હતો, તેથી આ યોગ 18 ઓગસ્ટના રોજ બની રહ્યો છે. જ્યારે કેટલાક માને છે કે 19 ઓગસ્ટના રોજ આખો દિવસ અષ્ટમી તિથિ હશે અને આ તારીખે સૂર્યોદય પણ થશે. તેથી જન્માષ્ટમી 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી, શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની રાત્રે 12 વાગ્યે થયો હતો. આવી સ્થિતિમાં, આ તહેવાર 18 ઓગસ્ટ 2022ના રોજ જ ઉજવવામાં આવશે.

(12:23 pm IST)