Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ધરોઈ ડેમમાંથી 50 હજાર કયુસેકથી વધુ પાણી સાબરમતી નદીમાં છોડાયું :વાસણા બેરેજના 24 દરવાજા ખોલાયા

.સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ઈસ્ટ અને વેસ્ટ વિભાગમાં ફાયર વિભાગની ટીમને તૈનાત કરાઈ

અમદાવાદ : રાજ્યમાં પડેલા ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમમાંથી૫૦ હજાર કયુસેકથી વધુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.જે ગુરુવારે અમદાવાદ આવી પહોંચતા વાસણા બેરેજના  ૨૪ દરવાજા ખોલી નાંખવામાં આવતા પાણી અમદાવાદથી વહી ગયુ હતું.સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ઈસ્ટ અને વેસ્ટ વિભાગમાં ફાયર વિભાગની ટીમને તૈનાત કરવામાં આવી હતી
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતા  ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થવા પામી હતી.ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે એ અગાઉ સંત સરોવરમાંથી ૩૦ હજાર કયુસેક પાણી છોડવામાં આવતા આ પાણીની અસર અમદાવાદ સવારના ચારની આસપાસમાં  જોવા મળી હતી.

(2:45 pm IST)